પરેશાની દૂર કરવા માટે અસરકારક વઝીફા અને દુઆ | Pareshani door karvano wazifa

Blogger Imran
1

 ઝીંદગી માં એક સમય એવો આવે છે જ્યારે માણસ અંદર થી તૂટી જાય છે જેથી એનું કામ રોકાઈ જાય છે એનું દિમાગ ભારે રહે છે અને દિલ બેચેન થઈ જાય છે એવા વખત માં લોકો સવ થી વધારે પરેશાની દૂર કરવાનો વજીફો શોધે છે, એટલા માટે કે આ પરેશાની અને મુશ્કેલી દૂર કરવાનો વઝીફો દિલ ને સુકુન અને દિલ ને રાહત આપે છે,qurani dua અને ruhani amal જ્યારે યકીન ની સાથે કરવામાં આવે છે ત્યારે માણસ ની ઝીંદગી માં રાહત આવવા લાગે છે.

(toc) #title=(Table of Content)

Pareshani door karvano wazifa

વજીફા શું છે ? | What is wazifa?

Wazifa નો મતલબ એ થાય છે કે અલ્લાહ થી મદદ માંગવા માટે નો એક સુન્નત અને મસ્તનદ તરીકો છે,

વઝીફો કોઈ જાદુ તોના નથી પરંતુ quran sharif અને દુઆઓ ની મદદ થી અલ્લાહ ની પાસે પોતાની પરેશાની દૂર કરવા ની દુઆ છે,

એમાં ત્રણ વાતો નો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે,
1. સારી નિયત
2. દિલ માં એવું મજબૂત યકીન કે અલ્લાહ મારી અરજ સાંભરી રહ્યા છે,
3. વઝીફા નો અમલ પાબંદી થી કરવામાં આવે.

અમુક પાવરફુલ અસરકારક વજીફા

હવે હું તમને અમુક એવા દરેક પરેશાની દૂર કરવા ના વઝીફા બતાવવા જઇ રહીયો છું જેને તમે દરરોજ પઢતા ફક્ત બે થી પાંચ મિનિટ લાગશે પરંતુ અસર અને ફાયદો બહુ વધારે કરે છે.

1.હસ્બીયલ્લાહુ લા ઇલાહ ઇલ્લા હુ નો વજીફો

આ ટેન્શન દૂર કરવાનો વજીફો આ રીત પઢવાનો છે કે દરરોજ આખા દિવસ માં ગમે તે ટાઇમ પર 100 વખત હસ્બીયલ્લાહુ લા ઇલાહ ઇલ્લા હુ પઢો ઇન્શાઅલ્લાહ દરેક પ્રકાર ની પરેશાની, બીક અને ટેન્શન ને ખત્મ કરે છે.

2.લા હૌલા વલા કૂવ્વતા ઇલ્લા બિલ્લાહ નો વઝીફો

જ્યારે પણ તમારું કામ રોકાઈ જાય ચારેય તરફ થી દરેક રસ્તા બંધ થઈ જાય અને દિલ તૂટવા માંડે તો 300 વખત લા હૌલા વલા કૂવ્વતા ઇલ્લા બિલ્લાહ પઢો insha Allah આ અમલ થી બધી બરકતો ખુલી જાત છે.

3.સૂરા ફાલક અને સૂરા નાસ નો વઝીફો

સવારે અને સાંજે એક એક વખત આ બે સુરત પઢીને પોતાની ઉપર દમ કરી દો , નકારાત્મક વિચારો અને બુરી નઝર અને બેચેની થી રાહત મળે છે.

4.રબ્બિ યસર વલા તુઅસર નો વઝીફો

મુશ્કિલ પરિસ્થિતિ માં આ કાલિમા ને 11 વખત પઢો એની બરકત થી બધી મુશ્કેલીઓ આસાન થઈ જશે

વઝીફો ક્યારે પઢવો | best Time Wazifa

ફઝર ની નમાઝ પછી
સુતા પેહલા
જ્યારે મન બેચેન હોય ત્યારે,
જ્યારે હંમેશા ટેન્શન રહેતું હોય ત્યારે,
વઝીફો ગમે તે વખત પર પઢી શકાય છે પરંતુ ઉપર બતાવેલા વખતો માં બરકત અને અસર વધારે હોય છે.

મન ને શાંતિ મળે તેવી દુઆ

અગર દિલ ભારે ભારે લાગે , રડવા નું દિલ કરતું હોય અથવા તો ઊંઘ ના આવતી હોય તો આ દુઆ પઢવી

અલ્લાહુમ્મ ઇન્ની ઑઉઝુ બિકા મિન હાલમી વલ્લહુઝન

દુઆ નો અર્થ ગુજરાતી માં

ઓ અલ્લાહ મને ચિંતા અને ગમ થી બચાવ

ફક્ત સાત વખત પઢી લેવા થી દિલ ના બોઝ હલકો થઈ જશે ઇન્શાઅલ્લાહ,

અનુભવ અને સલાહ | Practical Tips

વઝીફો પઢતી વખતે ઝડપી ઝડપી પૂરો કરવાની કોશિશ ન કરો,

દરેક દુઆ સમઝી ને પઢો, ત્યારે જ અસર બમણો થાય છે

તમારી પરેશાની ને અલ્લાહ ના હવાલે કરી દો અને સોશિયલ મીડિયા થી થોડા દૂર રહો એના થી મન સાફ રહેશે,

ઘણા બધા લોકો એ જણાવ્યું કે તેમને ફક્ત હસ્બીયલ્લાહ યા પછી લા હૌલા પઢતા ની સાથે જ ટેન્શન થી બહાર નોકરી ગયા,

Canclusan

દોસ્તો પરેશાની જીવન નો એક ભાગ છે તેમ છતાં પણ allah એ દરેક મુશ્કેલ ની સાથે એના થી નિકળવાનો રસ્તો પણ બનાવ્યો છે ,જો તમે યકીન, સબર,અને દુઆ ની સાથે પરેશાની દૂર કરવાનો વજીફો પઢો છો તો દિલ ને સુકુન મળે છે, રસ્તાઓ ખુલવા લાગે છે અને હાલત ધીરે ધીરે બેહતર થવા લાગે છે, રોજ પાંચ મિનિટ નો આ અમલ tanari ઝીંદગી બદલી શકે છે.

FAQ

1. શું વજીફા તરત અસર કરે છે?
જો નિયત સારી હોય તો કોઈક વખત તાત્કાલિક અને કોઈક વખત ધીરે અસર થાય છે પણ એ અલ્લાહ ની મરજી પર છે.

2. મહાવારી માં વઝીફો કરી શકે છે?
હા, દુઆ અને ઝીંકર કરી શકાય છે.

3.વજીફો કરતી વખતે કોઈ ખાસ પાની યા તેલ જોઈએ?
આ જરૂરી નથી , ફક્ત દુઆ અને વિશ્વાસ કાફી છે.

4. ડર અને તણાવ માટે કયો વજીફો બેસ્ટ છે?
હસ્બિયલ્લાહુ અને લા હૌલા આ બે બેસ્ટ છે.

5. શુ રાત્રે કરેલો વઝીફો વધારે અસરકારક હોય છે?
હા, રાત નો સમય દિલ અને દિમાગ ને શાંત કરે છે એટલા માટે અસર જલ્દી દેખાય છે.

एक टिप्पणी भेजें

1 टिप्पणियाँ

एक टिप्पणी भेजें

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!